2.5 KiB
2.5 KiB
આ મૂર્ખ પશુઓ
જેમ પશુઓને અ ક્કલ નથી, તેમ આ માણસો પાસે અક્કલ નથી. અમુક દિશામાં: "આ જૂઠા શિક્ષકો મુર્ખ પશુઓ જેવા છે" (જુઓ: રૂપક)
જેનું તેઓએ અપમાન કર્યું તેઓ તે જાણતા નથી.
તેઓ જે જાણતા નથી કે સમજતા નથી તે વિષે તેઓ ખરાબ બોલે છે.
તેઓ નાશ પામશે.
અમુક દિશામાં: "ઈશ્વર આ લોકોનો નાશ કરશે" (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
તેઓના ખોટાં કાર્યોનુ ફળ તેઓનું નુકસાન છે
"તેઓ જે સારું છે તેમ વિચારે છે તે ખરેખર તેમના માટે ખરાબ છે. (જુઓ:કટાક્ષવચન)
તેઓ ડાઘ તથા એબ છે.
જૂઠા શિક્ષકો, અપમાનિત અને અનિચ્છનીય છે તેમ જ સરળતાથી જાય નહિ એવા એબ અને ડાઘ સમાન છે જુઓ: (રૂપક)
જયારે તેઓ તમારી સાથે પ્રેમભોજન કરે છે, ત્યારે તેઓ તેમના ઠગારા આનંદમાં મોજશોખ કરે છે
ઠગાઈ કરવામાં તેઓ પોતાને પોતાની દ્રષ્ટિમાં આનંદિત માને છે અને દોષ અનુભવતા નથી.
આંખો વ્યભિચારી સ્ત્રીઓથી ભરેલી: તેઓ પાપથી સંતુષ્ટ થતા નથી
"દરેક સ્ત્રીને તેઓ વાસનાથી જુએ છે, અને ક્યારેય બંધ થતું નથી."
અંત:કરણો દ્રવ્યલોભમાં કેળવાયેલા છે
"અંત:કરણ," લાલચુ કામો અને વિચારોમાં કેળવાયેલા આખા મનુષ્યને રજુ કરે છે. તેઓ સંપતિ અથવા ધન દોલતની ખોટી ઇચ્છા કરે છે.(જુઓ: રૂપક)